Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી: વલસાડ જિલ્લાનું ગૌરવમય પ્રદર્શન

  સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી: વલસાડ જિલ્લાનું ગૌરવમય પ્રદર્શન

ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવાતા સંસ્કૃત સપ્તાહની વલસાડ જિલ્લામાં અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું, જેના કારણે તેમને રાજ્ય કક્ષાએ વિશેષ સન્માન મળ્યું છે. ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉ. ટંડેલને પ્રશંસાપત્ર આપીને તેમના પ્રયાસોની કદર કરી.
આ કાર્યક્રમમાં (કેબિનેટ કક્ષાના) માનનીય શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબ તથા રાજ્યકક્ષાના માનનીય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાજી ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં ભાગ લઈને પ્રાચીન ગ્રંથોના મધુર શ્લોકોનું પઠન કર્યું. નાટ્ય પ્રસ્તુતિમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં નાટકો રજૂ કરીને ભાષાની જીવંતતા દર્શાવી. તેમજ નિબંધ સ્પર્ધા અને ક્વિઝ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃતના ઈતિહાસ, વ્યાકરણ અને સાહિત્ય વિશેના જ્ઞાનનું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમોમાં હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેથી શાળાઓમાં સંસ્કૃત પ્રત્યેનો રસ વધ્યો.

ડૉ. રાજેશ્રી ટંડેલના નેતૃત્વમાં આ ઉજવણીએ વલસાડ જિલ્લાને રાજ્યમાં અલગ તારીખ આપી છે. તેમના પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રાચીન ભાષાના મહત્વની જાગૃતિ આવી છે. આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવા જોઈએ, જેથી નવી પેઢી સંસ્કૃતના અમૂલ્ય વારસાને જાળવી શકે. વલસાડ જિલ્લાના આ પ્રયાસને અભિનંદન!

Comments