Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

ખેરગામમાં તિરંગા યાત્રા: દેશભક્તિનો અનોખો ઉત્સવ

 

 ખેરગામમાં તિરંગા યાત્રા: દેશભક્તિનો અનોખો ઉત્સવ

આજનો દિવસ ખેરગામ માટે ખાસ હતો. તાલુકા સેવાસદન દ્વારા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ, જેમાં દેશભક્તિના રંગો ચારે તરફ ફરી વખત ખીલી ઉઠ્યા. આ યાત્રા તારીખ ૧૧-૦૮-૨૦૨૫ના દિને ખેરગામ જનતા માધ્યમિક શાળાથી શરૂ થઈ અને બિરસા મુંડા સર્કલ, મેઈન બજાર, ઝંડાચોક થઈને દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી પહોંચી. અહીં સૌએ પુષ્પાંજલી અર્પણ કરીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ડૉ.બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ યાત્રા માત્ર એક રેલી નહીં, પરંતુ દેશપ્રેમનો એક મહા ઉત્સવ હતો. નારા જેમ કે "ભારત માતા કી જય!" અને "વંદે માતરમ્!" થી વાતાવરણ ગુંજી ઉઠ્યું. લોકો તિરંગા ધ્વજ લઈને ચાલતા હતા, અને બાળકોના ચહેરા પર દેશભક્તિની ચમક જોવા મળી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા, સમાજ અગ્રણી ચુનીલાલ પટેલ, પૂર્વ સદસ્યો પ્રશાંતભાઈ પટેલ અને જીજ્ઞાબેન પટેલ, ભૌતેશભાઈ કંસારા, પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, તાલુકા સદસ્ય વિજયભાઈ,વાડ ગામના આગેવાનો ચેતનભાઈ અને દિનેશભાઈ પટેલ, વેપારી મંડળ પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, તલાટી કમ મંત્રીશ્રી, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ સહિત અનેક વ્યક્તિઓ જોડાયા.

ખેરગામ મામલતદારશ્રી ભાવેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ પી વિરાણી, સેવાસદન અને તાલુકા પંચાયતના કર્મચારીઓ, પોલીસતંત્ર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનોની હાજરીએ યાત્રાને વધુ ભવ્ય બનાવી. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, જ્યારે શિક્ષકોએ બાળકોને રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ સમજાવ્યું. આ યાત્રા દ્વારા લોકોમાં એકતા અને સમર્પણની ભાવના જાગૃત થઈ.

આવા કાર્યક્રમો આપણને આપણા દેશના ઈતિહાસને યાદ કરાવે છે. સ્વતંત્રતા સંગ્રામના વીરોની યાદમાં તિરંગા યાત્રા જેવા આયોજનો આજના યુવાનોને પ્રેરણા આપે છે. તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાએ પ્રવચનમાં કહ્યું, "દેશભક્તિ એ માત્ર શબ્દો નથી, પરંતુ કાર્યોમાં પ્રતિબિંબિત થવી જોઈએ." ચુનીલાલ પટેલે તિરંગા માનસન્માન જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમજ તાલુકા  વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


આ યાત્રા ખેરગામના લોકો માટે યાદગાર બની રહેશે. તેમાંથી મળેલી પ્રેરણા આપણને વધુ સારા નાગરિક બનાવશે. જો તમે પણ આવા કાર્યક્રમમાં ભાગ લીધો હોય, તો તમારા અનુભવો કોમેન્ટમાં શેર કરો. ચાલો, આપણે સૌ તિરંગાના રંગમાં રંગાઈએ અને દેશનું ગૌરવ વધારીએ!

જય હિન્દ! 🇮🇳


Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...