Skip to main content

નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા

  નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.

ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ.

ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ.

ખેરગામ તાલુકામાં 2024-25 શૈક્ષણિક વર્ષ માટે ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત બાળવાર્તા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મમાસ નવેમ્બરથી રાજ્યવ્યાપી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ખેરગામ તાલુકામાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેરગામ, શામળા ફળિયા, બહેજ , પાટી અને પાણીખડક સી.આર.સી.નાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તબક્કાવાર સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ 1-2)

પ્રથમ ક્રમાંક – શાનવી ઉદયભાઈ પટેલ (ધોરણ -૧) (નાંધઈ પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – દિયાંશી બિપીનભાઈ માહલા (ધોરણ -૧) (જામનપાડા પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – રીતી ભાવિનભાઈ આહિર ( ધોરણ -૧) (બહેજ પ્રા. શાળા)

પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3-5)

પ્રથમ ક્રમાંક – રૂહી અરૂણભાઈ પટેલ (ધોરણ -૩) (જામનપાડા પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – ભવ્યા વિપુલકુમાર પટેલ (ધોરણ -૩)  (બહેજ પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – મેરીલ નિર્લેપભાઈ પટેલ (ધોરણ  -૪) (પાણીખડક પ્રા. શાળા)

મિડલ સ્ટેજ (ધોરણ 6-8)

પ્રથમ ક્રમાંક – નિયતિ મનોજભાઈ પટેલ (ધોરણ -૮) (નાંધઈ પ્રા. શાળા)

દ્વિતિય ક્રમાંક – ધ્રુવી નટુભાઈ ગરાસિયા (ધોરણ -૭) (કાકડવેરી પ્રા. શાળા)

તૃતિય ક્રમાંક – કેની નરેશભાઈ પટેલ ( ધોરણ -૮) (વિધામંદિર પણંજ પ્રા. શાળા)

તાલુકા કક્ષાએ વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહીત કરવા માટે ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ પટેલ,તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખજાનચી પરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા બી.આર.પી શ્રીમતી નિમિષાબેન આહીર, પાટી/શામળા ફળિયા સી.આર.સી. શ્રીમતી ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી. શ્રીમતી વૈશાલીબેન સોલંકી સહિત નિર્ણાયકો, સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા.

ભાગ  લીધેલ તમામ સ્પર્ધકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને આગલા તબક્કાની તૈયારી માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાયું.આ સ્પર્ધા દ્વારા ખેરગામના બાળકોમાં ભાષા અને સર્જનશીલતા પ્રત્યેનો રસ વધ્યો છે.

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી  ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન  કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો:  ૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે.  નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જ...