Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી

    નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી

  

વિકાસ ભારત સપ્તાહ વિશેષ: નવસારી જિલ્લો 

-

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી 

-

સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇ અને આર્થીક રીતે પગભર બની છે.- તેજલબેન મિસ્ત્રી

-

"લખપતિ દીદી" યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.

-

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા.12: તાજેતરમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાની ખડસુપા ગામે એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ મીશન મંગલમ યોજના અંતર્ગત 'લખપતી દિદિ' સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી હતી. 


તેજલબેન પોતાની સફળતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષથી હુ સખી મંડળમાં જોડાઇ છું. અમે ૧૦ બહેનો મળીને 'સત્યસાંઇ બચત જુથ' ચલાવીએ છે. ૮ વર્ષ પહેલા અમે ૫૦ રૂપિયા જેવી નાની રકમથી બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બેંક મારફત ઓછા વ્યાજ દરે લોન લઇ અમે દરેક બહેનો પોતાની આવડત અનુસાર અલગ અલગ વ્યવસાયમાં જોડાયા હતા. સખી મંડળ થકી અમને જે લોન મળી તેના કારણે અમે પગભર બની શક્યા અમારો વ્યવસાય આગળ વધારી શક્યા છે. 


તેજલબેન પોતે કલટરી અને નાના બાળકોના રેડીમેડ કપડાની નાનકડી દુકાન શરૂ કરી હતી. આ સાથે પોતે જ્યા ભણેલાએ શાળા-એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપા માટે બાળકોના યુનિફોર્મ વેચવાની શરૂઆત કરી હતી. આજે છેલ્લા ૪ વર્ષથી તેજલબેન ખડસુપા સ્કુલ સહિત અન્ય ૭ જેટલી સ્કુલ માટે યુનિફોર્મ વેચાણ કરે છે. આ સાથે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં બાળકો સહિત સ્ત્રીપુરુષોના રેડીમેડ કપડાનું વેચાણ પણ શરૂ કર્યું અને આજે છેલ્લા ૦૮ વર્ષથી તેજલબેન સફળતા પુર્વક પોતાની દુકાન ચલાવી રહ્યા છે. 


વધુમાં તેજલબેન સહિત તેઓના સખી મંડળની દરેક બહેનો આજે અલગ અલગ વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બની પરિવાર અને જિલ્લા માટે ગર્વ લેવાનું કારણ બની છે એમ ઉમેરી તેજલબેને અંતે ખુબજ આત્મિયતાથી સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 15 ઓગસ્ટ, 2023 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરવામાં આવેલ છે. જે મુજબ અંદાજીત કુલ ૩ કરોડ સ્વ સહાય જૂથના બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.


બોક્ષ: 

લખપતિ દીદી કોણ? 

-

'લખપતિ દીદી' એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય 


"લખપતિ દીદી" એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 (દર મહિને આશરે રૂ.8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.


લખપતિ દીદી યોજનાના ફાયદા:

• મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.

• નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.

• સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.

• મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.


લખપતિ દીદી યોજનાના ઘટકો:

લોનમાં વ્યાજ સહાય: યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.5 લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.


રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.


વડાપ્રધાનશ્રી નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરાઇ રહી છે. જેમાં લખપતિ દીદી જેવા કાર્યક્રમો થકી અનેક 'લખપતી દિદિઓ' સરકારશ્રી અને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરી રહી છે. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...