Skip to main content

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

    આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી

  

વિકાસ ભારત સપ્તાહ વિશેષ: નવસારી જિલ્લો 

-

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી 

-

સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇ અને આર્થીક રીતે પગભર બની છે.- તેજલબેન મિસ્ત્રી

-

"લખપતિ દીદી" યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.

-

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા.12: તાજેતરમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાની ખડસુપા ગામે એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ મીશન મંગલમ યોજના અંતર્ગત 'લખપતી દિદિ' સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી હતી. 


તેજલબેન પોતાની સફળતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષથી હુ સખી મંડળમાં જોડાઇ છું. અમે ૧૦ બહેનો મળીને 'સત્યસાંઇ બચત જુથ' ચલાવીએ છે. ૮ વર્ષ પહેલા અમે ૫૦ રૂપિયા જેવી નાની રકમથી બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બેંક મારફત ઓછા વ્યાજ દરે લોન લઇ અમે દરેક બહેનો પોતાની આવડત અનુસાર અલગ અલગ વ્યવસાયમાં જોડાયા હતા. સખી મંડળ થકી અમને જે લોન મળી તેના કારણે અમે પગભર બની શક્યા અમારો વ્યવસાય આગળ વધારી શક્યા છે. 


તેજલબેન પોતે કલટરી અને નાના બાળકોના રેડીમેડ કપડાની નાનકડી દુકાન શરૂ કરી હતી. આ સાથે પોતે જ્યા ભણેલાએ શાળા-એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપા માટે બાળકોના યુનિફોર્મ વેચવાની શરૂઆત કરી હતી. આજે છેલ્લા ૪ વર્ષથી તેજલબેન ખડસુપા સ્કુલ સહિત અન્ય ૭ જેટલી સ્કુલ માટે યુનિફોર્મ વેચાણ કરે છે. આ સાથે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં બાળકો સહિત સ્ત્રીપુરુષોના રેડીમેડ કપડાનું વેચાણ પણ શરૂ કર્યું અને આજે છેલ્લા ૦૮ વર્ષથી તેજલબેન સફળતા પુર્વક પોતાની દુકાન ચલાવી રહ્યા છે. 


વધુમાં તેજલબેન સહિત તેઓના સખી મંડળની દરેક બહેનો આજે અલગ અલગ વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બની પરિવાર અને જિલ્લા માટે ગર્વ લેવાનું કારણ બની છે એમ ઉમેરી તેજલબેને અંતે ખુબજ આત્મિયતાથી સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 15 ઓગસ્ટ, 2023 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરવામાં આવેલ છે. જે મુજબ અંદાજીત કુલ ૩ કરોડ સ્વ સહાય જૂથના બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.


બોક્ષ: 

લખપતિ દીદી કોણ? 

-

'લખપતિ દીદી' એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય 


"લખપતિ દીદી" એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 (દર મહિને આશરે રૂ.8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.


લખપતિ દીદી યોજનાના ફાયદા:

• મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.

• નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.

• સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.

• મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.


લખપતિ દીદી યોજનાના ઘટકો:

લોનમાં વ્યાજ સહાય: યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.5 લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.


રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.


વડાપ્રધાનશ્રી નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરાઇ રહી છે. જેમાં લખપતિ દીદી જેવા કાર્યક્રમો થકી અનેક 'લખપતી દિદિઓ' સરકારશ્રી અને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરી રહી છે. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી.

  અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી. નવસારી (ગુજરાત) – શિક્ષણનો ખરો ઉદ્દેશ બાળકોમાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનો બાળક પોતાની મહેનતથી રાજ્ય સ્તરની સ્પર્ધામાં સ્થાન મેળવે છે, ત્યારે તેના માતાપિતા અને શિક્ષકો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવે છે. આવું જ એક ઉદાહરણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી કેલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અર્પણ અનિલભાઈ ગાયકવાડે રજૂ કર્યું છે. WPC શું છે? WPC એટલે કે વર્ડ પાવર ચેમ્પિયનશિપને ભારતની સૌથી મોટી પ્રાદેશિક અંગ્રેજી ભાષા આધારિત સ્પર્ધા માનવામાં આવે છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોમાં અંગ્રેજી શબ્દોનું સાચો ઉચ્ચારણ (જોડણી), અર્થ, વાંચન ક્ષમતા અને ભાષા જ્ઞાન વિકસાવવાનો છે. સ્પર્ધા દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં શબ્દોનો સાચો ઉચ્ચાર, સાચો અર્થ ઓળખવા અને અંગ્રેજી ભાષા સમજવા સંબંધિત પ્રશ્નોનો સમા...