Skip to main content

નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા

  નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.

યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો

   યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો


આ અભિયાન અંતર્ગત વિવધ જન જાગૃતિ કાર્યક્રમો જેમાં શાળા તમાકુ મુક્ત કાર્યક્રમ, તમાકુ મુક્ત ગામ કાર્યક્રમ, આકસ્મિક ચેકિંગ-ટાસ્ક ફોર્સ દ્વારા રેડ જેવી પ્રવૃતિઓ હાથ ધરાશે

નવસારી,તા.25: ભારત સરકાર દ્વારા શરુ કરેલ Tobacco Free Youth Campaign 2.0નું અભિયાનમાં યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે. તમાકું એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) 2019 પ્રમાણે, ગુજરાતમાં 13-15 વર્ષની ઉંમરનાં લગભગ 5.4% વિદ્યાર્થીઓ તમાકુના કોઈપણ પ્રકારનો ઉપયોગ કરે છે. ગુજરાતના યુવાનોમાં સિગારેટ અને તંબાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે. આ આંકડા દર્શાવે છે કે તંબાકુ સામેની લડાઈ હજી પૂર્ણ નથી થઈ. ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો, અને તંબાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે, તે સૌથી વધુ સંવેદનશીલ ગૃપ છે.


              Tobacco Free Youth Campaign 2.0 એ COTPA 2003ને ધ્યાનમાં રાખીને મુખ્ય 4 વ્યૂહરચના પર આવનાર ૬૦ દિવસમાં કામ કરવાનું છે જેમાં નવસારી જીલ્લામાં આ વર્ષે કેમ્પેઇન અંતર્ગત ચાર પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જન જાગૃતિ કાર્યક્રમ, શાળા તમાકુ મુક્ત કાર્યક્રમ, તમાકુમુક્ત ગામ કાર્યક્રમ, આકસ્મિક ચેકિંગ-ટાસ્ક ફોર્સ દ્વારા રેડની કામગીરીનું આયોજન કરવામાં આવનાર છે. સાથોસાથ શાળા-કોલેજોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.


  આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વિવિધ શાળાઓમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમા નવસારી જિલ્લામા ચીખલી તાલુકા રાકેશભાઈ પટેલ પ્રમુખશ્રી ચીખલી. અને ગણદેવી તાલુકામાં નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ ગણદેવી નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા. 


Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી  ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન  કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો:  ૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે.  નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જ...