પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
Navsari : માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું
Navsari : માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું
તેમજ ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦થી વધારે રોપાઓનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરાયું.
આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા "એક પેડ માં કે નામ" અંતર્ગત જિલ્લામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું
— Collector & DM Navsari (@CollectorNav) September 17, 2024
તેમજ ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦થી વધારે રોપાઓનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરાયું.#एक_पेड़_माँ_के_नाम pic.twitter.com/I4Wd5bNJij


Comments
Post a Comment