Skip to main content

નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા

  નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ: સ્મિત અને ક્રિશાની શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાનદાર સફળતા ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત પરિણામ હાંસલ કર્યું, જેમાં સ્મિત પટેલે 87 ગુણ મેળવી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ અને ક્રિશા પટેલે 80 ગુણ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપલબ્ધિ શાળાના શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને શાળા પરિવારના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ શિક્ષકો અને શાળા પરિવારે સ્મિત અને ક્રિશાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા નાંધઈ પ્રાથમિક શાળા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે.

Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ગરીબ કલ્યાણ મેળો: નવસારી જિલ્લો

વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮ કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા.

મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા

નવસારી, તા.૨૭: નવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે  જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૦૮ કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદ્દેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની દીર્ઘદ્રષ્ટિથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગરીબોને સશક્તિકરણ અભિયાન વધુ તેજ બનાવી ગરીબને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પ કરવાનો છે. વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવીસુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગુજરાતમાં આજદિન સુધી 13માં તબક્કામાં 1604 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1.66કરોડો જરૂરિયાતમંદ લાભાર્થીઓને રૂા.36800કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે, ત્યારે આજે ગરીબ કલ્યાણ મેળાના ૧૪માં તબક્કા હેઠળ નવસારી જિલ્લામાં આજે વિવિધ યોજનાના કુલ ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮૦૦૬૬૧૭૮.૩૪ કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે તેમણે લાભ મેળવનાર લાભાર્થીઓને મળેલ કીટ કે સાધન સહાયનો ઉપયોગ સમજી વિચારી પોતાના આર્થીક વિકાસ માટે કરવા જાહેર અપીલ કરી હતી.

વધુમાં તેમણે સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમો થકી સરકાર જ્યારે ઘર આંગણે લાભ આપવા આવતી હોય તો તેનો ફાયદો ઉઠાવવા નાગરિકોને સ્વયં જાગૃત બનવા મીઠી ટકોર કરી હતી. આ સાથે બહેનોને સખી મંડળોમાં જોડાવા અને લખપતી દિદિ સહિત ડ્રોન તાલીમ જેવી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીશ્રીએ જળનું મહત્વ સમજાવી રેઇન વોટર હાર્વેસ્ટીંગ અપનાવવા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ તથા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે મંત્રીશ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓમાંથી વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા હતા. 

બોક્ષ- 

અત્રે નોંધનિય છે કે, વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ-૩૩૧૯૩ લાભાર્થીઓને રૂપિયા 2252791477.17ના વિવિધ સાધન સહાયના લાભો આપવામાં આવનાર છે. જેમાં વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અગાવ કુલ- ૩૦૨૮૫ લાભાર્થીઓને રૂપિયા ૨૧૫૬૩૧૧૩૦૭ના લાભો આપવામાં આવ્યા છે. મેળા બાદ કુલ-૧૧૬૭ લાભાર્થીઓને રૂપિયા ૧૬૪૧૩૯૯૧.૬૪ આપવામાં આવનાર છે. તથા આજે ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮૦૦૬૬૧૭૮.૩૪ કરોડના લાભો આપવામાં આવ્યા છે. આમ, વર્ષ-૨૦૨૪ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૩૩૧૯૩ લાભાર્થીઓને રૂપિયા ૨૨૫૨૭૯૧૪૭૭ના વિવિધ લાભોથી લાભાન્વિત થશે. 

કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ સાચા અર્થમાં ગરીબને સશક્ત કર્યા છે. આજના કાર્યક્રમ થકી નાગરિકોને ખ્યાલ આવે કે સરકાર નાગરિકો માટે કેટલુ કામ કરી રહી છે. આજે કરોડોના લાભો નવસારી જિલ્લામાં આપવામાં આવ્યો છે. પ્રમુખશ્રીએ વધુમાં વિવિધ યોજના અંગે માહિતી આપતા જનધન યોજના,  ગરીબ માતા બહેનો માટે ઉજ્જવલા યોજના, ગરીબોને આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાનભેર જીવતો કર્યો છે એમ ઉમેર્યું હતું. તેમણે સેવાસેતુ કાર્યક્રમમાં પણ નાગરિકોને આવવા અને લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે રેઇન વોટર હાર્વેસ્ટીંગ કોન્સેપ્ટને અપનાવી પાણી બચાવવાના ભગીરથ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો હતો. 

કાર્યક્રમમાં ગણદેવી ધારાસભ્યશ્રી નરેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.ગરીબ કલ્યાણ મેળા દ્વારા અનેક લોકોના જીવન ધોરણ ઉપર લાવવામાં સરકારશ્રીનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. ધારાસભ્યશ્રીએ વધુમાં હાલ ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૌને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે અત્રે ઉભા કરેલા સ્ટોલમાં વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી છે. જે અંગે નાગરિકોને પોતે પણ જાગૃત બની સરકારશ્રીની યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીપલ ચૌધરી સ્વાગત પ્રવચન, કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યોજનાકિય શોર્ટ ફિલ્મ સહિત બનાસકાંઠાથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના લાઇવ પ્રસારણને સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે તથા પેટા સ્ટેજ ઉપરથી વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ,સાધન સહાય, ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ સાથે ઉપસ્થિત સૌએ પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં ચિખલી તાલુકાના શાળા કોલેજના બાળકો દ્વારા રાસ ગરબા, આદિવાસી નૃત્ય રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. 

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન જોષી, પ્રાયોજના વહિવટદારશ્રીઓ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામશ્રી,  જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ કર્મચારીઓ અને જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી  ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન  કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો:  ૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે.  નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જ...