Skip to main content

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

    આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...

Navsari|Vansda:વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 'વિશ્વ આદિવાસી દિવસ' ઉજવાયો

વિશ્વ આદિવાસી દિવસ : નવસારી જિલ્લો Navsari|Vansda:વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 'વિશ્વ આદિવાસી દિવસ' ઉજવાયો.
દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો અગ્ર હરોળમાં રહે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ આજે આદિવાસીના દિકરા દિકરીઓ ફક્ત ખેતી કે પશુપાલન સુધી સિમિત ન રહેતા તેઓની સિધ્ધિ આસમાને પહોચી છે.-મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ૧.૨૪૧૧ કરોડના ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને ૧.૫૭૩૫ કરોડના ૨૫ કામોનું લોકાર્પણ કરાયું નવસારી,તા.09: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ ૯મી ઓગસ્ટના દિવસને "વિશ્વ આદિવાસી દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ૯મી ઓગષ્ટના રોજ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામના એગ્રીમોલ ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દરેક વનબંધુ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સધ્ધર રહે. આ ધ્યેયને અનુલક્ષીને તેમણે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમા મુકી હતી. તેમના કાર્યને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે. આદિવાસી સમાજના ઉત્થાન કરવાનું બીડું વર્તમાન સરકારે બખુબી ઉપાડ્યુ છે ત્યારે આજે આદિવાસીના દિકરા દિકરીઓ ફક્ત ખેતી કે પશુપાલન સુધી સિમિત ન રહેતા તેઓની સિધ્ધિ આસમાને પહોચી છે. આજે આદિવાસી દિકરા દિકરીઓ પાયલેટ બન્યા છે, આદિવાસી દિકરી સરીતા ગાયકવાડે સમગ્ર દેશમાં આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. મંત્રીશ્રીએ વધુમાં ભગવાન બિરસા મુંડાને પણ વંદન કરી દરેક આદિવાસી પગભર થાય તે માટે સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજનાઓ આદર્શ નિવાસી શાળા, કન્યા શાળા, કૃષિલક્ષી યોજનાઓ, ન્યુ ગુજરાત પેટર્ન યોજના, બોર્ડર વિલેજ ઉત્કર્ષ યોજના, હળપતિ છ પાયાની યોજના, આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સૌને મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીશ્રીએ દેશના વિકાસમાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો અગ્ર હરોળમાં રહે અને 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌના વિશ્વાસ'ના મંત્ર સાથે આપણે સૌ આગળ સાથે મળી આગળ વધીએ એવી જ શુભકામનાઓ સાથે "વિશ્વ આદિવાસી દિવસ"ની શુભેચ્છાઓ પાઠવી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને "એક પેડ માઁ કે નામ" અભિયાનમાં સૌને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન થકી સૌને આદિવાસી સમાજ દ્વારા આઝાદીની જંગમાં આપવામાં આવેલ મહત્વની ભુમિકા, આદિવાસી સમાજની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ અંગે જાણકારી આપી આદિવાસી તરીકે સૌને ગર્વ લેવા અપીલ કરી હતી. તેમણે વર્તમાન સરકારના પ્રયત્નનો થકી આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયનું વિતરણ, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષ્રેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોને પ્રસસ્તી પત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ૧.૨૪૧૧ કરોડના ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને ૧.૫૭૩૫ કરોડના ૨૫ કામોનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સાથે સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું સાબરકાંઠા જિલ્લાથી જીવંત પ્રસારણ અને આદિવાસી વિકાસ સંલગ્ન યોજનાકિય માહિતી આપતી દસ્તાવેજી ફિલ્મ સૌએ નિહાળી હતી. નવસારી અને વાંસદાના સ્થાનિક કલાકારોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. કાર્યક્રમમાં પ્રાયોજના વહિવટદારશ્રી વાંસદા દ્વારા સ્વાગત પ્રવચન કરી પ્રાયોજના કચેરી અંતર્ગત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ, સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસ : નવસારી જિલ્લો - વાંસદા ખાતે રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને '...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી.

  અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી. નવસારી (ગુજરાત) – શિક્ષણનો ખરો ઉદ્દેશ બાળકોમાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનો બાળક પોતાની મહેનતથી રાજ્ય સ્તરની સ્પર્ધામાં સ્થાન મેળવે છે, ત્યારે તેના માતાપિતા અને શિક્ષકો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવે છે. આવું જ એક ઉદાહરણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી કેલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અર્પણ અનિલભાઈ ગાયકવાડે રજૂ કર્યું છે. WPC શું છે? WPC એટલે કે વર્ડ પાવર ચેમ્પિયનશિપને ભારતની સૌથી મોટી પ્રાદેશિક અંગ્રેજી ભાષા આધારિત સ્પર્ધા માનવામાં આવે છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોમાં અંગ્રેજી શબ્દોનું સાચો ઉચ્ચારણ (જોડણી), અર્થ, વાંચન ક્ષમતા અને ભાષા જ્ઞાન વિકસાવવાનો છે. સ્પર્ધા દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં શબ્દોનો સાચો ઉચ્ચાર, સાચો અર્થ ઓળખવા અને અંગ્રેજી ભાષા સમજવા સંબંધિત પ્રશ્નોનો સમા...