નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...
Navsari:નવસારી એસ ટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી
નવસારી:શુક્રવાર: નવસારી જિલ્લામાં ઘર ઘર તિરંગા અભિયાન ના વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા ઘર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું હતું. જે અન્વયે આજરોજ નવસારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે એસ.ટી.વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાયા હતાં.
નવસારી એસ ટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી નવસારી:શુક્રવાર: નવસારી જિલ્લામાં ઘર ઘર તિરંગા...
Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024
Comments
Post a Comment