પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો
સફળતા પૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર, અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે દિવાસો. દ.ગુજરાતના આદિવાસીઓ પ્રકૃતીને પૂજવામાં માને છે. પ્રકૃતિ એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે. જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાંયણુ કરવામાં આવે છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ઉપરાંત અન્ય આદિવાસી સમાજની વસ્તી ધરાવતા અન્ય વિસ્તારોમાં પણ દિવાસનો તહેવાર ઉજવાય છે.
તો અન્ય કેટલાક ગામોમાં -દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનું રાખવામાં આવે છે. તો કેટલાક ગામોમાં મંગળવારે કા તો બુધવારે પણ દેવ પુજાતા હોય છે. નક્કી કરવામાં આવેલા તહેવારની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામના કોટવાળાને ગામ દ્વારા સુચના આપવામાં આવે છે. તે પ્રમાણે તે ફળીયે જઈને પોતાની આગવી શૈલીમાં દિવાસો કરવાનો છે, નજીકના સ્થળે હાટ હાટ ભરવા સુધીની જાણકારી આપવામાં આવે છે. લોકો તહેવારમાં જોઈતી સામગ્રી લેવા માટે હાટમાં ઉમટી પડતા હોય છે. લોકો ઉપયોગી વસ્તુઓની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે.
ખાસ કરીને સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળપતિ સમાજના લોકો ઢીંગલા બાપાની સ્થાપના કરીને આ દિવાસાનો તહેવાર ઉજવે છે. આ દિવસે પિતૃઓને પણ યાદ કરવામાં આવે છે.
દિવાસાનો તહેવાર બારડોલી, પલસાણા, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ, સુરત શહેર પંથકમાં પણ અનેરૂ આકર્ષણ ઉભું કરે છે. તેમાં સમગ્ર ગુજરાતમાં નવસારીના મોલધરા, ભટ્ટાઈ, છાપરા, દાડીવાડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પરંપરાગત ઢીંગલા બાપાનું નિર્માણ કરી વરરાજા જેવો શણગાર કરી આદિવાસી હળપતિ સમાજ તેની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે.
ત્યારબાદ દિવાસાના દિવસે સમગ્ર નવસારી નગરમાં વિશાળ વરઘોડો કાઢવામાં આવે છે. અંતે આ વરઘોડો નવસારીની લોકમાતા પુર્ણા નદીના પટમાં ઢીંગલા બાપાને વિર્સજન કરવામાં
આવે છે. આ ઢીંગલા બાપાનો પ્રસંગ ૧૦૦ વર્ષથી પણ વધુ વર્ષોથી નવસારી શહેરમાં ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસાનો તહેવાર ખાસ કરીને દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનોનું પુજન, તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે.
ચાલુ વર્ષે નવા લગ્ન કરનાર યુવતીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ અને આભૂષણોથી સજજ થઈને ચણાના ડાળીયા સૌને વહેચે છે, આ દરેક ગામોમા વર્ષ જુની પરંપરા છે. દિવાસાના દિવસે પોતાના પુર્વજોના ખત્રાનું પુજન કરી તેને નવેધ ચઢાવી ઘરે બનાવેલી તમામ વાનગીઓનું ભોજન થાળ ચઢાવાય છે. અને સાથે છોક પાળવાની પ્રથા છે.


Comments
Post a Comment