Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી તા.25: ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં
ગણદેવાની ઝાડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ.
જેમાં ગણદેવા ગામના સરપંચશ્રી સ્નેહલબેન તરલભાઈ પટેલ ના પ્રમુખ સ્થાને 78 માં સ્વાતંત્ર પર્વની🇮🇳 ઉજવણી કરવામાં આવી હતી. સરપંચશ્રી તરફથી શાળાના તમામ બાળકોને રાઇટીંગ પેડ આપવામાં આવ્યા હતા. જ્યારે સામરમાળ ફળિયાનાં યુવા મિત્રો તરફથી ઉપસ્થિત તમામ ગ્રામજનો ,વાલીઓ અને બાળકોને નાસ્તાની સુવિધા આપવામાં આવી.. દર વર્ષે આ યુવા મિત્રો નાસ્તાની સુવિધા પૂરી પાડે છે.. શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
Comments
Post a Comment