Skip to main content

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

          ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી 


ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન 

કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો: 

૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. 

નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જન્મ સ્થાન નવસારી જિલ્લો છે. આમ આઝાદીની ચળવળથી રાષ્ટ્રના વિકાસમાં નવસારી જિલ્લો અગ્રેસર રહ્યો છે. સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ ભગવાન શ્રી રામના વનવાસની સાથે જોડાયેલ ઉનાઇ ગામના ગરમ પાણીના ઝરા સાથે પણ જોડાયેલ છે. તો કુદરતી સૌંદર્યમાં પણ નવસારી જિલ્લો આગવું સ્થાન ધરાવે છે. નવસારી જિલ્લો વિવિધ ક્ષેત્રોના વિકાસમાં અગ્રેસર રહ્યો છે. 

અખુડ કુદરતી સૌંદર્યો ધરાવતો નવસારી જિલ્લામાં દરેક ગામની વિશેષતાઓ વર્ણવવી અહીં શક્ય નથી. પરંતુ કુદરતની સાથોસાથ માનવસર્જીત જગ્યાઓ પણ તેટલી જ મનમોહન છે. જે સ્થળો પૈકી એક એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનુ કેલીયા ડેમ વર્ષા ઋતુમાં અનેરૂં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ડેમ નાનામોટા ડુંગરોની વચ્ચે સ્થિત છે. એમા પણ ડેમની નજીક જ આવેલા અજમલગઢ ઉપરથી સંપુર્ણ સપાટીએ ભરેલા અને છલકાતા કેલીયા ડેમનું દૃશ્ય પ્રવાસીઓને ઘેલું કરી દે તેવું લાગે છે. 

વર્ષાૠતુમાં વાંસદાના વન વિસ્તારમાં પ્રકૃતિની શોભા મોસમની સાથે સોળે કળાએ ખીલી ઉઠે છે. વહેતાં ઝરણાંઓનો નિનાદ, છલકાયેલા નદીનાળાઓ, ડુંગરોની ટોચ સાથે સંતાકુકડી રમતા વાદળો, ચોપાસ ફેલાયેલી હરિયાળી અને મંદમંદ વરસતા વરસાદથી જીવંત બની જતા સમગ્ર વાતાવરણને લીધે નવસારી જિલ્લાનું નૈસર્ગિક સૌંદર્ય કોઇપણ પ્રવાસધામથી ઓછું નથી. વર્ષા ઋતુમાં છલોછલ ભરાયેલા તળાવો અને નાની મોટી નદીઓનો વેગીલો પ્રવાહ પણ મંત્ર મુગ્ધ કરી મૂકે તેવો છે. વર્ષાૠતુથી દિવાળીના દિવસો સુધી પ્રકૃતિની આ અપાર શોભાને માણવીએ અનેરો લ્હાવો છે. 

નવસારી શહેર અને જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. દાંડી અને ઉંભરાટના દરિયા કિનારે ફળફળાદિ અને નાળિયેરીના વૃક્ષો નયનરમ્ય વાતાવરણ ઊભું કરે છે. કેલીયા ડેમ ૧૦૦ટકા ભરાઇ જતા ડેમ ઉપરથી ધીમીધીમી ગતીએ પડતી ધારાઓ આંખને ભ્રમીત કરી દે છે. પરંતું આવો સુંદર નજારો જોવો મુલાકાતીઓ માટે કાયમી સંભારણું બની રહે છે.

નવસારીથી આશરે ૬૦ કી.મી.ના અંતરે આવેલ વાંસદાના ડુંગરો અને વનરાજી વચ્ચે વહીને નદી પરનો કેલીયા ડેમ તેના વિશાળ જળાશય અને તેની આસપાસનો વનવિસ્તાર નયનરમ્ય વાતાવરણ સર્જે છે. સુંદર ડુંગરાળ પ્રદેશ હરિયાળી અને વિશાળ જળાશય એક સાથે જોવાનો લ્હાવો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વાંસદા તાલુકાના કેલિયા ગામે ખરેરા નદી ઉપર સ્થિત કેલિયા ડેમ ૧૯.૯૮ લાખ ઘન મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર પિયત વિસ્તારમાં સિંચાઇ સુવિધા પૂરી પાડે છે. આ ડેમ ઓવર ફ્લો થતા ખેડૂતોમાં ખેતી માટે પાણીની સમસ્યાનું નિવારણ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

ડેમના ઇતિહાસ ઉપર નજર કરીએ તો, બંધના કામની શરૂઆત-વર્ષ-૧૯૮૦માં થઇ હતી જે ૧૯૮૩માં બનીને તૈયાર થયો હતો. આ ડેમના પાણીનો ઉપયોગ ખાસ કરીને ખરીફ અને રવિ મૌસમમાં નવસારી જિલ્લાના ૧૯ ગામોના ખેડૂતો કરે છે. જેમાં વાંસદા તાલુકા- ૬ ગામો, ચીખલી તાલુકા-૧૨ ગામો, ખેરગામ તાલુકાના-૦૧ ગામ આમ, નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે.  આ બંધ ઉપર કોઇ ગેટ નથી એટલે કે અનગેટેડ પ્રકારનો બંધ છે. જેની કુલ લંબાઈ-૮૧૪મીટર, માટીયાર બંધની લંબાઇ ૭૦૧મીટર  અને ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૧૩.૪૦ મીટર છે. 

ગત તા.૨૯-૦૭-૨૦૨૪ના રોજ સવારે ૧૨.૦૦ વાગ્યાના અરસામા કેલીયા ડેમ  સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો હતો. હાલ ડેમમાંથી ૨૬૩.૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઇ નદીમાં જઇ રહ્યો છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી ૧૧૩.૪૦ મીટર છે જ્યારે જળાશયમાં હાલ તા.૩૧-૦૭-૨૦૨૪ના રોજ સાંજે ૦૪ વાગ્યાના આંક અનુસાર સપાટી ૧૧૩.૫૦ મીટર છે. અત્રે નોંધનિય છે કે, જુજડેમ પણ ટૂંક સમયમા ઓવરફ્લો થાય તેવી શક્યતા રહેલી છે. જુજ ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦મીટર છે જે હાલ ૧૬૭.૦૦ મીટર ઉપર ભરાયેલ છે.

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...