બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે ક...
ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :
નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતાં. પુરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશરૂપે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા થી વાણીયા ફળિયા નેશનલ હાઇવે-૪૮ ના બ્રીજ પાસે પુરમાં તણાઇ આવેલા ઝાડી-ઝાંખરા, પ્લાસ્ટીક તેમજ અન્ય કચરાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે.
ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી : નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને...
Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024
Comments
Post a Comment