બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે ક...
નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :
નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :
નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને શહેરની સફાઇની કામગીરીમાં જોડાયાઃ
નવસારીઃ શનિવારઃ- નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુકત ટીમોના સફાઈ કર્મચારીઓએ મળીને સફાઈની કામગીરીમાં જોડાયા છે. નવસારી શહેરમાં ખાસ કરીને ભેંસતખાડા, કાશીવાડ, રીંગરોડ, રૂસ્તમવાડ, બંદર રોડ, દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ભરાયા હતા. જેના કારણે કાદવ-કીચડની ગંદકી ફેલાઈ હતી. આજે પાણી ઓસર્યા બાદ સત્વરે સફાઈ કર્મચારીઓ દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી ગલી-મહોલ્લાની સફાઈ કરીને દવાનો છંટકાવ કર્યો છે.
નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું : નવસારી-વિજલપોર...
Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024
Comments
Post a Comment