Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી

    નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યક...

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોની મદદે પહોચ્યું - નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી - (નવસારીઃ બુધવારઃ) : સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો, નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.૨૪-૦૭-૨૦૨૪ સાંજના ૦૬ વાગ્યા સુધી અંબિકા નદી ૨૧.૯૭ ફુટ પાણીની સપાટી, પૂર્ણા નદી ૨૨ ફૂટ તથા કાવેરી નદી ૧૩.૫૦ ફૂટની સપાટીએ વહી રહી છે. તથા જુજ ડેમ ૧૬૧.૮૫ ફૂટ તથા કેલિયા ડેમ ૧૧૦.૭૫ ફૂટ પાણી ભરાયેલ છે. નવસારી જિલ્લામાં આજે સાંજના ૦૬ વાગે સુધીમાં નવસારી તાલુકામાં ૬૦ મીમી, જલાલપોર તાલુકામાં ૪૧ મીમી, ગણદેવી તાલુકામાં ૪૦ મીમી, ચીખલી તાલુકામાં ૫૭ મીમી, વાંસદા તાલુકામાં ૬૩ મીમી અને ખેરગામ તાલુકામાં ૮૫ મીમી વરસાદ મળી કુલ-કુલ-૫૮ મીમી વરસાદ નોધાયેલ છે. નવસારી જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ પર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તથા જલાલપોર તાલુકામાં કુલ ૨૩૩ વ્યક્તિઓને આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા સ્થાળાંતર કરેલ લોકોને સુવિધા સભર રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતરિત કરેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે કામ રહી રહ્યું છે. બોક્ષ- નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા - નવસારી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીને પહોચી વળવા માટે જીલ્લામાં કુલ ૪૫૪ આશ્રયસ્થાન નક્કી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત ૪૬,૨૫૬ લોકોને આકસ્મિક સંજગોમા સ્થળાંતરિત કરી શકાશે. હાલની પરિસ્થિતીએ નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થળાંતરીત નાગરિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત જલાલપોરના કૃષ્ણપુર ગામ ખાતે સાયક્લોન સેન્ટર પર SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખી આશ્રયસ્થાન પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. બોક્ષ- બંધ થયેલા રસ્તાઓની વિગત આજરોજ પડેલ વરસાદના કારણે સાંજના ૦૫ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં કુલ ૬ નેશનલ હાઈવે રસ્તા તથા જિલ્લાના પંચાયતના નાના મોટા ૮૩ રસ્તાઓ મળી કુલ-૮૯ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પાણીનું સ્તર નીચે જતા રસ્તાઓ પુન:શરૂ કરવામાં આવશે. બંધ થયેલા પૈકિ નવસારી તાલુકાના ૧૧ રસ્તા, જલાલપોર તાલુકાના ૦૮ રસ્તા, ગણદેવી તાલુકાના ૧૭ રસ્તા, ચિખલી તાલુકાના ૨૪ અને ખેરગામ તાલુકાના ૦૬, જ્યારે વાંસદા તાલુકાના ૧૭ મળી કુલ-૮૩ રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાય છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટે જિલ્લા પ્રશાસન વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા તંત્રનો...

Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024

Comments

Popular posts from this blog

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...