Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

નવસારી જિલ્લાના ઉમેદવારોને તાલુકા- જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા જોગ :

નવસારી જિલ્લાના ઉમેદવારોને તાલુકા- જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા જોગ : તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે. નવસારીઃ બુધવારઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, નવસારી દ્વારા સંચાલિત તાલુકાકક્ષા/જિલ્લાકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૪-૨૫ ના ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૦/૦૮/૨૦૨૪ છે. આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ “અ” (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા),૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ “બ” (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લા” વિભાગમાં (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) ભાગ લઈ શકશે. જે અંતર્ગત સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, કલા વિભાગમાં: સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય યોજાશે. આ ઉપરાંત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ૧૮ કૃતિઓ જેવી કે, લોકનૃત્ય, લોકગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટયમ, શાસ્ત્રીય નૃત્ય – મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય – ઓડિસી, શાસ્ત્રીય નૃત્ય – કથ્થક, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી, શીધ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી) યોજાશે. વર્ષ: ૨૦૨૩-૨૪ દરમ્યાન રાષ્ટ્રકક્ષા યુવા ઉત્સવમાં દાખલ કરવામાં આવેલ કૃતિઓ જેવી કે લાઈફ સ્કિલ વિભાગમાં સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકીંગ, ડિક્લેમેશન અને ફોટોગ્રાફીની સ્પર્ધાઓ તથા યુવાક્રિતી વિભાગમાં હેન્ડી ક્રાફટ, ટેક્ષટાઈલ્સ અને એગ્રો પ્રોડક્ટના પ્રદર્શન યોજવાના જેવા આયોજન પણ ઓફલાઈન હાથ ધરવામાં આવશે. તાલુકાકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમ વિજેતા જિલ્લાકક્ષાએ અને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ટુકડીઓ તથા વિજેતાઓ પ્રદેશકક્ષાએ ભાગ લેશે. તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધરકાર્ડની નકલ સાથે રાખી તા. ૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમ્યાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સી-બ્લોક, બીજો માળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી – ૩૯૬૪૪૫ ખાતે જમા કરવાના રહેશે. સમયમર્યાદા બાદ તેમજ અધુરી વિગત વાળા ફોર્મ, માગ્યા મુજબના આધાર પુરાવા જોડ્યા વગરના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.

નવસારી જિલ્લાના ઉમેદવારોને તાલુકા- જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા જોગ : તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે. ...

Posted by Info Navsari GoG on Thursday, July 25, 2024

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...