Skip to main content

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

          ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય ...

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી 


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ  નિહાળ્યું 

ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે 

તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે 

પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન 

સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જીવંત પ્રસારણ નિહાળી વલસાડ જિલ્લામાં ૬૪૦૭૨ વિદ્યાર્થીઓ માટે યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  

 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીની રૂપરેખા આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૯૩ રૂટ પર આવેલી કુલ ૮૮૬ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવાશે. સવારે ૮ થી ૯-૩૦ પ્રથમ પ્રાથમિક શાળા, સવારે ૧૦ થી ૧૧-૩૦ સુધી બીજી પ્રાથમિક શાળા અને બપોરે ૧૨ થી ૧૩-૩૦ સુધી ત્રીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. એક શાળામાં દોઢ કલાકનો કાર્યક્રમ રહેશે. આ ૩ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાશે. જિલ્લામાં પ્રવેશોત્સવ ખરા અર્થમાં સાર્થક થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશપાત્ર બાળકોના સર્વે અને નામાંકન તેમજ શાળામાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો સહયોગ પણ આ ઉજવણીમાં મહત્વનો રહેશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવુ આયોજન, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય, સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ધો. ૯ અને ધો. ૧૧માં પ્રવેશ અને નામાંકન કરવાનું રહેશે.       


જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલીઓ અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. શિક્ષણ જીવનનો મજબૂત આધાર છે. જેના થકી વ્યકિતના જીવનનું અને સમાજનું તેમજ રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે.   

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ શાળા પ્રવેશોત્સવની ઉજવણી અને વિદ્યાર્થિનીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, કલગામ એસઆરપીના સેનાપતિ અભિષેક ગુપ્તા (આઈપીએસ), વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વશ્રી આસ્થા સોલંકી, અંકિત ગોહિલ અને અમિત ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બોક્ષ મેટર 

હવે ધો. ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ મનાવાશે

સામાન્ય રીતે આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૧માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો પ્રવેશોત્સવ ઉજવાતો હોય છે. પરંતુ ડ્રોપ આઉટ રેશિયો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી નવી પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪નો પ્રવેશોત્સવ હવે માત્ર ભૂલકાંઓ પૂરતો જ સીમિત નથી રહ્યો પરંતુ ધો. ૮માંથી ધો. ૯માં પ્રવેશ મેળવનાર અને ધો. ૧૦ માંથી ધો. ૧૧માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ધો. ૮ અથવા તો ધો. ૧૦ બાદ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લેતા હોવાનું ધ્યાને આવતા આ પહેલ કરવામાં આવી છે. જેથી ધો. ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શકાય. 

બોક્ષ મેટર 

જિલ્લામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા 

વિદ્યાર્થી સંખ્યા 

આંગણવાડી પ્રવેશપાત્ર ૧૮૦૫

બાલવાટિકા પ્રવેશપાત્ર ૧૩૭૨૬

ધો. ૧ માં નવા પ્રવેશપાત્ર ૮૩૪

ધો. ૧ માં પ્રવેશપાત્ર  ૨૩૧૮૩

ધો. ૨ થી ૧૨માં પુનઃ પ્રવેશપાત્ર ૭૦

ધો. ૯માં પ્રવેશપાત્ર  ૧૫૧૮૩

ધો. ૧૧ માં પ્રવેશપાત્ર  ૯૨૭૧  

કુલ ૬૪૦૭૨ 


ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી ----...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"

  Navsari : "વૃધ્ધાશ્રમમાં દિવાળી: કાયદાના રક્ષકો અને વૃદ્ધોના હૃદયનો સંવાદ"  "પોલીસની માનવતા: દીવાળી પર વરિષ્ઠ નાગરિકો માટે ખુશીઓનું વિતરણ" "સાંસ્કૃતિક બાંધકામ: નવસારીમાં દીવાળી ઉજવણી" "આજના જમાનામાં માનવતા: પોલીસનો દાયકાનો સંદેશ"  "સપનાની ઉજવણી: સીનીયર સીટીઝન સાથે પોલીસની મિલનસાર મહોત્સવ"  "દીવાલી: એકતા અને પ્રેમના પર્વમાં પોલીસની ખાસ ભાગીદારી" નવસારી જીલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકલા રહેતા સીનીયર સીટીઝન અને વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝનને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે જે કામગીરી કરી, તે તેમના માનવતાના આદર્શનું ઉદાહરણ છે. મીઠાઈ વહેચવી અને ફટાકડા ફોડીને આ પર્વમાં સહભાગી થવું એ માત્ર તેમના દાયિત્વનું પ્રતિબિંબ જ નથી, પરંતુ આ રીતે તેમણે સીનીયર સીટીઝન સાથેનો સામાજિક બંધન વધુ મજબૂત કર્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારા અને એકતા વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉજવણીનો અમલ કરવામાં, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સૌ પ્રથમ વૃધ્ધાશ્રમોમાં અને એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે પહોંચી, ત્યાં તેમને ખુશીના પર્વની શુભેચ...

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

   પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી  ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતા નવસારી જિલ્લાનું પ્રવાસનની દ્રષ્ટીએ છે આગવુ સ્થાન  કેલીયાડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો:  ૧૭૩૫ મીલીયન કયુસેક મીટર પાણીની સંગ્રહ શકિત સાથે ૨૨૧૦ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડે: નવસારીના ૧૯ ગામોના કુલ-૪૬૦૦ લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા. ૩૧: સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રા ધામો, અને ઔતિહાસિક સ્થળોની વૈવિદ્યસભર વિપુલતાઓથી સમૃધ્ધ છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે. ડાંગ જિલ્લાનો ગીરા ધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વ્હિલસન હિલ ધોધ લીલી વનરાજીમાં રાંચતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવુ કે મુલાકાત લેવી એક લાહ્વા સમાન છે. ગુજરાતના દક્ષિણે કુદરતી સાનિધ્યમાં આદિજાતિ વસતિ ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે.  નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચનું દાંડી ગામ અને રાષ્ટ્રનું ઔદ્યોગિક એકમ જમશેદ ટાટાનું વતન તથા દાદાભાઇ નવરોજીનું જ...