Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી 


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ  નિહાળ્યું 

ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે 

તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે 

પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન 

સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જીવંત પ્રસારણ નિહાળી વલસાડ જિલ્લામાં ૬૪૦૭૨ વિદ્યાર્થીઓ માટે યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  

 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીની રૂપરેખા આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૯૩ રૂટ પર આવેલી કુલ ૮૮૬ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવાશે. સવારે ૮ થી ૯-૩૦ પ્રથમ પ્રાથમિક શાળા, સવારે ૧૦ થી ૧૧-૩૦ સુધી બીજી પ્રાથમિક શાળા અને બપોરે ૧૨ થી ૧૩-૩૦ સુધી ત્રીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. એક શાળામાં દોઢ કલાકનો કાર્યક્રમ રહેશે. આ ૩ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાશે. જિલ્લામાં પ્રવેશોત્સવ ખરા અર્થમાં સાર્થક થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશપાત્ર બાળકોના સર્વે અને નામાંકન તેમજ શાળામાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો સહયોગ પણ આ ઉજવણીમાં મહત્વનો રહેશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવુ આયોજન, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય, સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ધો. ૯ અને ધો. ૧૧માં પ્રવેશ અને નામાંકન કરવાનું રહેશે.       


જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલીઓ અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ કરવા જરૂરી છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. શિક્ષણ જીવનનો મજબૂત આધાર છે. જેના થકી વ્યકિતના જીવનનું અને સમાજનું તેમજ રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે.   

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ શાળા પ્રવેશોત્સવની ઉજવણી અને વિદ્યાર્થિનીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેતનભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, કલગામ એસઆરપીના સેનાપતિ અભિષેક ગુપ્તા (આઈપીએસ), વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વશ્રી આસ્થા સોલંકી, અંકિત ગોહિલ અને અમિત ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બોક્ષ મેટર 

હવે ધો. ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ મનાવાશે

સામાન્ય રીતે આંગણવાડી, બાલવાટિકા અને ધો. ૧માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો પ્રવેશોત્સવ ઉજવાતો હોય છે. પરંતુ ડ્રોપ આઉટ રેશિયો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી નવી પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪નો પ્રવેશોત્સવ હવે માત્ર ભૂલકાંઓ પૂરતો જ સીમિત નથી રહ્યો પરંતુ ધો. ૮માંથી ધો. ૯માં પ્રવેશ મેળવનાર અને ધો. ૧૦ માંથી ધો. ૧૧માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ધો. ૮ અથવા તો ધો. ૧૦ બાદ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લેતા હોવાનું ધ્યાને આવતા આ પહેલ કરવામાં આવી છે. જેથી ધો. ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શકાય. 

બોક્ષ મેટર 

જિલ્લામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા 

વિદ્યાર્થી સંખ્યા 

આંગણવાડી પ્રવેશપાત્ર ૧૮૦૫

બાલવાટિકા પ્રવેશપાત્ર ૧૩૭૨૬

ધો. ૧ માં નવા પ્રવેશપાત્ર ૮૩૪

ધો. ૧ માં પ્રવેશપાત્ર  ૨૩૧૮૩

ધો. ૨ થી ૧૨માં પુનઃ પ્રવેશપાત્ર ૭૦

ધો. ૯માં પ્રવેશપાત્ર  ૧૫૧૮૩

ધો. ૧૧ માં પ્રવેશપાત્ર  ૯૨૭૧  

કુલ ૬૪૦૭૨ 


ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી ----...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...