Skip to main content

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

    આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, ...

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે.

ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવની પાળે સિઝન મુજબ અલગ અલગ પ્રકારના પક્ષીઓના આવાગમન માટે અનુકૂળ એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ મોટી સંખ્યામાં રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગિયા તથા અન્ય પક્ષીઓનું આવાગમન વધી ગયું છે. તળાવની પાળે બળદગાડુ પણ ગોઠવાયું છે તો વિશાળ વૃક્ષ સાથે બાળકોને ઉપર ચઢવા માટે ઝુલો પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત તળાવમાં પોલ્ટ્રીફાર્મ પણ બનાવાયું છે.

સોલધરા ઈકો પોઈન્ટ સ્થિત તળાવમાં બોટિંગ માટે ઈકો ફ્રેન્ડલી બોટ પણ અશોકભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. બોટ માટે કોઈપણ પ્રકારના ઈંધણની જરૂરિયાત નથી એટલે પ્રદુષણ પણ થતું નથી અને કોઈ ખર્ચ પણ લાગતો નથી. ઉપરાંત આંબાના વર્ષો જૂના વૃક્ષ ઉપર બે જેટલા ટ્રી હાઉસ પણ બનાવાયા છે. ટ્રી હાઉસની દિવાલમાં વાંસ અને લાકડાનો જે ઉપયોગ કરી દિવાલ પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે અને ટ્રી હાઉસમાં બેડ પણ વાંસના બનાવાયા છે. આમ પ્રકૃતિના તાલમેલ સાથે અદભૂત સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત અશોકભાઈ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો અને બાળકોને ઝેરી, બિનઝેરી સાપોનું નિદર્શન કરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ઉપરોક્ત પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા મોટાપાયે મધનું ઉત્પાદન કરાતું હોય ત્યાં વિવિધ પ્રકારની મધમાખીઓનું નિદર્શન કરવામાં આવે છે.

સંચાલક અશોકભાઇ પટેલ દ્વારા મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. કુદરતી વાતાવરણથી ભરપૂર સ્થળ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ છે. તળાવમાં બોટીંગની સુવિધા ઉપ્લબ્ધ છે. સેફ્ટી માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. કુદરતી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ ફોટામાં જોઈ શકશો. મધ ઉછેર કેન્દ્રના માલિક અશોકભાઈ ઘણાં વર્ષોથી મધ ઉછેરનું કાર્ય કરે છે.ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીને અવગત કરવા પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે

નવસારી જિલ્લાના ચીખલીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્‍યું છે. અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર કરી દર વર્ષે લાખો રૂપિયાની આવક મધના વેચાણ દ્વારા મેળવે છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્‍ધતિથી ખેતી કરતા હતા આત્મા પ્રોજેકટની તાલીમમાં એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્‍યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્‍પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્‍પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો  વધારો થાય છે. પોતાના ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્‍વરૂપે વધુ ફૂટ સેટીંગ થાય છે. અને ઉત્‍પાદન વધે છે. તેઓ કૃષિ મેળા, ગાંધી મેળા તેમજ ગરીબ કલ્યાણ મેળામાં પોતાના સ્ટોલ મુકીને મધ વેચાણનું કાર્ય કરે છે. 



1. ઈકો પોઈન્ટ સોલધરા કયા પ્રકારના ઉત્પાદનો ઓફર કરે છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

2. શું હાલમાં ઈકો પોઈન્ટ સોલધરા પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ અથવા વેચાણ ઉપલબ્ધ છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરામાં વારંવાર ખાસ પ્રમોશન અને વેચાણ હોય છે.  સ્ટોરની મુલાકાત લો અથવા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પર નવીનતમ અપડેટ્સ માટે  સોશિયલ મીડિયાની મુલાકાત લો.

3. શું હું ફોન પર અથવા ઓનલાઈન ઓર્ડર આપી શકું?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા [જો લાગુ હોય તો] હા, ગ્રાહકો ફોન પર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર આપી શકે છે. 

4. સ્ટોરના કામકાજના કલાકો શું છે?

જવાબ: ખોલવા અને બંધ થવાના સમય માટે કૃપા કરીને સંપર્ક કરો.

5. શું ઈકો પોઈન્ટ સોલધરા હોમ ડિલિવરી સેવાઓ આપે છે?

જવાબ: હા, અમે ચોક્કસ ત્રિજ્યામાં હોમ ડિલિવરી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે .


Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી.

  અદ્ભુત ગ્રામીણ પ્રતિભા: વાંસદાની કેલિયા પ્રાથમિક શાળાના અર્પણ ગાયકવાડે રાજ્ય સ્તરે WPC માં મોટી સફળતા મેળવી. નવસારી (ગુજરાત) – શિક્ષણનો ખરો ઉદ્દેશ બાળકોમાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનો બાળક પોતાની મહેનતથી રાજ્ય સ્તરની સ્પર્ધામાં સ્થાન મેળવે છે, ત્યારે તેના માતાપિતા અને શિક્ષકો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ગર્વ અનુભવે છે. આવું જ એક ઉદાહરણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી કેલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અર્પણ અનિલભાઈ ગાયકવાડે રજૂ કર્યું છે. WPC શું છે? WPC એટલે કે વર્ડ પાવર ચેમ્પિયનશિપને ભારતની સૌથી મોટી પ્રાદેશિક અંગ્રેજી ભાષા આધારિત સ્પર્ધા માનવામાં આવે છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોમાં અંગ્રેજી શબ્દોનું સાચો ઉચ્ચારણ (જોડણી), અર્થ, વાંચન ક્ષમતા અને ભાષા જ્ઞાન વિકસાવવાનો છે. સ્પર્ધા દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં શબ્દોનો સાચો ઉચ્ચાર, સાચો અર્થ ઓળખવા અને અંગ્રેજી ભાષા સમજવા સંબંધિત પ્રશ્નોનો સમા...