Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે.

ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવની પાળે સિઝન મુજબ અલગ અલગ પ્રકારના પક્ષીઓના આવાગમન માટે અનુકૂળ એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ મોટી સંખ્યામાં રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગિયા તથા અન્ય પક્ષીઓનું આવાગમન વધી ગયું છે. તળાવની પાળે બળદગાડુ પણ ગોઠવાયું છે તો વિશાળ વૃક્ષ સાથે બાળકોને ઉપર ચઢવા માટે ઝુલો પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત તળાવમાં પોલ્ટ્રીફાર્મ પણ બનાવાયું છે.

સોલધરા ઈકો પોઈન્ટ સ્થિત તળાવમાં બોટિંગ માટે ઈકો ફ્રેન્ડલી બોટ પણ અશોકભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. બોટ માટે કોઈપણ પ્રકારના ઈંધણની જરૂરિયાત નથી એટલે પ્રદુષણ પણ થતું નથી અને કોઈ ખર્ચ પણ લાગતો નથી. ઉપરાંત આંબાના વર્ષો જૂના વૃક્ષ ઉપર બે જેટલા ટ્રી હાઉસ પણ બનાવાયા છે. ટ્રી હાઉસની દિવાલમાં વાંસ અને લાકડાનો જે ઉપયોગ કરી દિવાલ પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે અને ટ્રી હાઉસમાં બેડ પણ વાંસના બનાવાયા છે. આમ પ્રકૃતિના તાલમેલ સાથે અદભૂત સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત અશોકભાઈ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો અને બાળકોને ઝેરી, બિનઝેરી સાપોનું નિદર્શન કરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ઉપરોક્ત પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા મોટાપાયે મધનું ઉત્પાદન કરાતું હોય ત્યાં વિવિધ પ્રકારની મધમાખીઓનું નિદર્શન કરવામાં આવે છે.

સંચાલક અશોકભાઇ પટેલ દ્વારા મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. કુદરતી વાતાવરણથી ભરપૂર સ્થળ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ છે. તળાવમાં બોટીંગની સુવિધા ઉપ્લબ્ધ છે. સેફ્ટી માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. કુદરતી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ ફોટામાં જોઈ શકશો. મધ ઉછેર કેન્દ્રના માલિક અશોકભાઈ ઘણાં વર્ષોથી મધ ઉછેરનું કાર્ય કરે છે.ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીને અવગત કરવા પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે

નવસારી જિલ્લાના ચીખલીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્‍યું છે. અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર કરી દર વર્ષે લાખો રૂપિયાની આવક મધના વેચાણ દ્વારા મેળવે છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્‍ધતિથી ખેતી કરતા હતા આત્મા પ્રોજેકટની તાલીમમાં એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્‍યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્‍પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્‍પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો  વધારો થાય છે. પોતાના ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્‍વરૂપે વધુ ફૂટ સેટીંગ થાય છે. અને ઉત્‍પાદન વધે છે. તેઓ કૃષિ મેળા, ગાંધી મેળા તેમજ ગરીબ કલ્યાણ મેળામાં પોતાના સ્ટોલ મુકીને મધ વેચાણનું કાર્ય કરે છે. 



1. ઈકો પોઈન્ટ સોલધરા કયા પ્રકારના ઉત્પાદનો ઓફર કરે છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

2. શું હાલમાં ઈકો પોઈન્ટ સોલધરા પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ અથવા વેચાણ ઉપલબ્ધ છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરામાં વારંવાર ખાસ પ્રમોશન અને વેચાણ હોય છે.  સ્ટોરની મુલાકાત લો અથવા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પર નવીનતમ અપડેટ્સ માટે  સોશિયલ મીડિયાની મુલાકાત લો.

3. શું હું ફોન પર અથવા ઓનલાઈન ઓર્ડર આપી શકું?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા [જો લાગુ હોય તો] હા, ગ્રાહકો ફોન પર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર આપી શકે છે. 

4. સ્ટોરના કામકાજના કલાકો શું છે?

જવાબ: ખોલવા અને બંધ થવાના સમય માટે કૃપા કરીને સંપર્ક કરો.

5. શું ઈકો પોઈન્ટ સોલધરા હોમ ડિલિવરી સેવાઓ આપે છે?

જવાબ: હા, અમે ચોક્કસ ત્રિજ્યામાં હોમ ડિલિવરી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે .


Comments

Popular posts from this blog

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...

Vansda taluka villages || વાંસદા તાલુકાના ગામો

   1 Ambabari (Group GP) 2 Ambapani 3 Anklachh (Group GP) 4 Bansda (CT) 5 Bartad (Khanpur) 6 Bartad (Unai) 7 Bedmal 8 Bhinar 9 Boriachh 10 Chadhav 11 Chapaldhara 12 Charanwada 13 Chikatiya 14 Chondha 15 Chorvani 16 Dhakmal 17 Dharampuri 18 Dholumber 19 Doldha 20 Dubal Faliya 21 Gangpur 22 Ghodmal 23 Godhabari 24 Hanumanbari 25 Holipada 26 Jamaliya 27 Kala Amba (Group GP) 28 Kamboya 29 Kanadha 30 Kandolpada 31Kansariya 32 Kantasvel 33 Kavdej 34 Kelia 35 Kelkutch 36 Kevdi 37 Khadakiya 38 Khambhala (Group GP) 39 Khambhaliya 40 Khanpur 41 Kharjai  42 Khata Amba 43 Kukda 44 Kureliya 45 Lachhakadi 46 Lakadbari 47 Lakhawadi 48 Limbarpada 49 Limzar 50 Mahuvas 51 Mankunia (Group) 52 Manpur 53 Mindhabari 54 Mola Amba 55 Moti Bhamti 56 Moti Valzar 57 Nani Bhamti 58 Nani Valzar 59 Navanagar 60 Navtad 61 Nirpan 62 Palgabhan 63 Pipalkhed 64 Pratapnagar (Group GP) 65 Rangpur 66 Ranifaliya 67 Ravaniya 68 Rupvel 69 Sara 70 Satimal 71 Sindhai 72 Singadh 73 Sitapur 74 Sukhabari 75 Umarkui 7...

સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ

 સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ કાકડવેરી: Kakadveri Freely Group અને Sakar Vachan Kutir, Kakadveri દ્વારા તા. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી, કાકડવેરી, તા. ખેરગામ, જિ. નવસારી ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળતા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનારમાં પ્રખ્યાત સ્પીકર ડૉ. શિશિર ટંડેલ દ્વારા પ્રેરણાત્મક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી દિશા, મંત્રો અને પ્રેક્ટિકલ ટીપ્સ આપ્યા. ડૉ. શિશિર ટંડેલના માર્ગદર્શન સેમિનાર અગાઉ પણ અનેક યુવાનો માટે મોખરાં સાબિત થયા છે, અને આ કાર્યક્રમ પણ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક નવી આશાનું કિરણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે અનોખો અવસર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને આ સેમિનારમાં તેમને કેવળ પરિક્ષા માટે જ નહીં, પણ જીવનની મોટી સફળતાઓ માટે કઈ દિશામાં પ્રયત્ન કરવા તે અંગે પણ સમજ અપાઈ. ડૉ. શિશિર ટંડેલ ના પ્રેરણાત્મક શબ્દોમાંથી વિદ્યાર્થીઓને તેમની...