Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે.

ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવની પાળે સિઝન મુજબ અલગ અલગ પ્રકારના પક્ષીઓના આવાગમન માટે અનુકૂળ એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ મોટી સંખ્યામાં રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગિયા તથા અન્ય પક્ષીઓનું આવાગમન વધી ગયું છે. તળાવની પાળે બળદગાડુ પણ ગોઠવાયું છે તો વિશાળ વૃક્ષ સાથે બાળકોને ઉપર ચઢવા માટે ઝુલો પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત તળાવમાં પોલ્ટ્રીફાર્મ પણ બનાવાયું છે.

સોલધરા ઈકો પોઈન્ટ સ્થિત તળાવમાં બોટિંગ માટે ઈકો ફ્રેન્ડલી બોટ પણ અશોકભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. બોટ માટે કોઈપણ પ્રકારના ઈંધણની જરૂરિયાત નથી એટલે પ્રદુષણ પણ થતું નથી અને કોઈ ખર્ચ પણ લાગતો નથી. ઉપરાંત આંબાના વર્ષો જૂના વૃક્ષ ઉપર બે જેટલા ટ્રી હાઉસ પણ બનાવાયા છે. ટ્રી હાઉસની દિવાલમાં વાંસ અને લાકડાનો જે ઉપયોગ કરી દિવાલ પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે અને ટ્રી હાઉસમાં બેડ પણ વાંસના બનાવાયા છે. આમ પ્રકૃતિના તાલમેલ સાથે અદભૂત સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત અશોકભાઈ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો અને બાળકોને ઝેરી, બિનઝેરી સાપોનું નિદર્શન કરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ઉપરોક્ત પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા મોટાપાયે મધનું ઉત્પાદન કરાતું હોય ત્યાં વિવિધ પ્રકારની મધમાખીઓનું નિદર્શન કરવામાં આવે છે.

સંચાલક અશોકભાઇ પટેલ દ્વારા મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. કુદરતી વાતાવરણથી ભરપૂર સ્થળ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ છે. તળાવમાં બોટીંગની સુવિધા ઉપ્લબ્ધ છે. સેફ્ટી માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. કુદરતી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ ફોટામાં જોઈ શકશો. મધ ઉછેર કેન્દ્રના માલિક અશોકભાઈ ઘણાં વર્ષોથી મધ ઉછેરનું કાર્ય કરે છે.ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીને અવગત કરવા પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે

નવસારી જિલ્લાના ચીખલીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્‍યું છે. અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર કરી દર વર્ષે લાખો રૂપિયાની આવક મધના વેચાણ દ્વારા મેળવે છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્‍ધતિથી ખેતી કરતા હતા આત્મા પ્રોજેકટની તાલીમમાં એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્‍યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્‍પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્‍પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો  વધારો થાય છે. પોતાના ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્‍વરૂપે વધુ ફૂટ સેટીંગ થાય છે. અને ઉત્‍પાદન વધે છે. તેઓ કૃષિ મેળા, ગાંધી મેળા તેમજ ગરીબ કલ્યાણ મેળામાં પોતાના સ્ટોલ મુકીને મધ વેચાણનું કાર્ય કરે છે. 



1. ઈકો પોઈન્ટ સોલધરા કયા પ્રકારના ઉત્પાદનો ઓફર કરે છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

2. શું હાલમાં ઈકો પોઈન્ટ સોલધરા પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ અથવા વેચાણ ઉપલબ્ધ છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરામાં વારંવાર ખાસ પ્રમોશન અને વેચાણ હોય છે.  સ્ટોરની મુલાકાત લો અથવા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પર નવીનતમ અપડેટ્સ માટે  સોશિયલ મીડિયાની મુલાકાત લો.

3. શું હું ફોન પર અથવા ઓનલાઈન ઓર્ડર આપી શકું?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા [જો લાગુ હોય તો] હા, ગ્રાહકો ફોન પર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર આપી શકે છે. 

4. સ્ટોરના કામકાજના કલાકો શું છે?

જવાબ: ખોલવા અને બંધ થવાના સમય માટે કૃપા કરીને સંપર્ક કરો.

5. શું ઈકો પોઈન્ટ સોલધરા હોમ ડિલિવરી સેવાઓ આપે છે?

જવાબ: હા, અમે ચોક્કસ ત્રિજ્યામાં હોમ ડિલિવરી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે .


Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...