Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત

મધ ઉછેર કેન્દ્ર|ઈકો પોઈન્ટ સોલધરા, ચીખલી, નવસારી, ગુજરાત ગુજરાત 396521 રોડ પર સ્થિત છે, તે ભારતમાં સ્થિત છે. ધમધમતા વિસ્તારમાં સ્થિત, સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. નવસારીમાં એક વ્યૂહાત્મક સ્થાન, ગુજરાત રાજ્યના એક શહેર, તેને સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે. ઇકો પોઇન્ટ સોલધરા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને આ પ્રદેશમાં એક લોકપ્રિય શોપિંગ સ્થળ બનાવે છે.

ચીખલીના સોલધરા સ્થિત ઈકો પોઈન્ટ ખાતે બાળકોને મનોરંજન માટે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી અને પ્રકૃતિના તાલમેલ સાથે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે પ્રકૃતિના રક્ષણ માટેની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

સોલધરા ગામે પાણીથી છલોછલ રહેતા વિશાળ તળાવની પાળે સ્થાનિક પ્રકૃતિપ્રેમી દંપતી અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ દ્વારા વિસરાઈ રહેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાના અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. તળાવની પાળે સિઝન મુજબ અલગ અલગ પ્રકારના પક્ષીઓના આવાગમન માટે અનુકૂળ એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ મોટી સંખ્યામાં રંગબેરંગી વિવિધ પ્રકારના પતંગિયા તથા અન્ય પક્ષીઓનું આવાગમન વધી ગયું છે. તળાવની પાળે બળદગાડુ પણ ગોઠવાયું છે તો વિશાળ વૃક્ષ સાથે બાળકોને ઉપર ચઢવા માટે ઝુલો પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત તળાવમાં પોલ્ટ્રીફાર્મ પણ બનાવાયું છે.

સોલધરા ઈકો પોઈન્ટ સ્થિત તળાવમાં બોટિંગ માટે ઈકો ફ્રેન્ડલી બોટ પણ અશોકભાઈ દ્વારા વિકસાવવામાં આવી છે. બોટ માટે કોઈપણ પ્રકારના ઈંધણની જરૂરિયાત નથી એટલે પ્રદુષણ પણ થતું નથી અને કોઈ ખર્ચ પણ લાગતો નથી. ઉપરાંત આંબાના વર્ષો જૂના વૃક્ષ ઉપર બે જેટલા ટ્રી હાઉસ પણ બનાવાયા છે. ટ્રી હાઉસની દિવાલમાં વાંસ અને લાકડાનો જે ઉપયોગ કરી દિવાલ પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે અને ટ્રી હાઉસમાં બેડ પણ વાંસના બનાવાયા છે. આમ પ્રકૃતિના તાલમેલ સાથે અદભૂત સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત અશોકભાઈ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો અને બાળકોને ઝેરી, બિનઝેરી સાપોનું નિદર્શન કરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ઉપરોક્ત પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા મોટાપાયે મધનું ઉત્પાદન કરાતું હોય ત્યાં વિવિધ પ્રકારની મધમાખીઓનું નિદર્શન કરવામાં આવે છે.

સંચાલક અશોકભાઇ પટેલ દ્વારા મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. કુદરતી વાતાવરણથી ભરપૂર સ્થળ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ છે. તળાવમાં બોટીંગની સુવિધા ઉપ્લબ્ધ છે. સેફ્ટી માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. કુદરતી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તમે નીચે આપેલ ફોટામાં જોઈ શકશો. મધ ઉછેર કેન્દ્રના માલિક અશોકભાઈ ઘણાં વર્ષોથી મધ ઉછેરનું કાર્ય કરે છે.ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીને અવગત કરવા પ્રકૃતિપ્રેમી દંપતી દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે

નવસારી જિલ્લાના ચીખલીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્‍યું છે. અશોકભાઇ પટેલ મધમાખી ઉછેર કરી દર વર્ષે લાખો રૂપિયાની આવક મધના વેચાણ દ્વારા મેળવે છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્‍ધતિથી ખેતી કરતા હતા આત્મા પ્રોજેકટની તાલીમમાં એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્‍યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્‍પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્‍પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો  વધારો થાય છે. પોતાના ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્‍વરૂપે વધુ ફૂટ સેટીંગ થાય છે. અને ઉત્‍પાદન વધે છે. તેઓ કૃષિ મેળા, ગાંધી મેળા તેમજ ગરીબ કલ્યાણ મેળામાં પોતાના સ્ટોલ મુકીને મધ વેચાણનું કાર્ય કરે છે. 



1. ઈકો પોઈન્ટ સોલધરા કયા પ્રકારના ઉત્પાદનો ઓફર કરે છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

2. શું હાલમાં ઈકો પોઈન્ટ સોલધરા પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ અથવા વેચાણ ઉપલબ્ધ છે?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરામાં વારંવાર ખાસ પ્રમોશન અને વેચાણ હોય છે.  સ્ટોરની મુલાકાત લો અથવા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પર નવીનતમ અપડેટ્સ માટે  સોશિયલ મીડિયાની મુલાકાત લો.

3. શું હું ફોન પર અથવા ઓનલાઈન ઓર્ડર આપી શકું?

જવાબ: ઈકો પોઈન્ટ સોલધરા [જો લાગુ હોય તો] હા, ગ્રાહકો ફોન પર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર આપી શકે છે. 

4. સ્ટોરના કામકાજના કલાકો શું છે?

જવાબ: ખોલવા અને બંધ થવાના સમય માટે કૃપા કરીને સંપર્ક કરો.

5. શું ઈકો પોઈન્ટ સોલધરા હોમ ડિલિવરી સેવાઓ આપે છે?

જવાબ: હા, અમે ચોક્કસ ત્રિજ્યામાં હોમ ડિલિવરી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે .


Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

આપણો નવસારી જિલ્લો :-

  નવસારી જિલ્લો :- (૧). નવસારી:-                                                         પૂણૉ નદીના કિનારે વસેલું જિલ્લાનુ મુખ્ય મથક છે.             જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીના જન્મ સ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ- મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. પુરાણકાળનુ પૂણૉ નદી પર નવસારિકા બંદર હતું. નવસારીનો તાતા હોલ આજે દ.ગુજરાતની શાન છે. ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ અને ગઝલ ગાયિકા પિનાઝ મસાણી નું નામ આવે. (૨). ઉભરાટ :-  લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલુ એક વિહારધામ છે. (૩). બીલીમોરા:-  સોમનાથ મહાદેવનું મંદિર , વલસાડી સાગમાથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યા છે. (૪). મરોલી :- કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હોસ્પિટલ જાણીતી છે. (૫). વાંસદા :-  જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ છે. (૬). દાંડી :-  ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસ સ્થાને 'હદયકુજ' થી ૭૮ સૈનિકો સાથે ઈ.સ ૧૯૩૦ના માચૅની ૧૨ તારીખે પગપાળા ૨૪૧ માઈલની ધમૅયાત્રા કરી અપ્રિલની ૫મીએ દાંડી પહોંચ્યા. ૬ઠી એપ્રિલે સમુદ્ર સ્નાન

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  Wednesday, July 17,