Skip to main content

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

વાંસદા તાલુકા વિશે| About vansda Taluka

 વાંસદા તાલુકા વિશે| About vansda Taluka 

વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.વાંસદા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. તેઓ તેમની કુકણા બોલી, ધોડિઆ બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવાર દરમ્યાન કરે છે. આ બોલીઓ ગુજરાતી ભાષા કરતાં જુદી હોય છે.

                                        આ ગામમાં ખેતી, ખેતમજુરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલાં અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અંહીના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. અંહીના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

જોવાલાયક સ્થળો: 

ઉનાઇ

જાનકી વન

વાંસદા નેશનલ પાર્ક

અજમલ ગઢ

દંડક વન આશ્રમ

જૂજ ડેમ

વાંગણ ધોધ

વાંસદા તાલુકામાં આવેલાં ગામો

(૧)  વાંસદા

(૨) વણારસી

(૩) ઉનાઇ

(૪) ભિનાર

(૫)  કુરેલિયા

(૬) સિણધઇ

(૭) ચઢાવ

(૮) મોટી વાલઝર

(૯) નાની વાલઝર

(૧૦) કંડોલપાડા

(૧૧) પાલગભાણ

(૧૨)  મહુવાસ

(૧૩) કાળાઆંબા

(૧૪)  ઉપસળ

(૧૫) લિમઝર

(૧૬) ખાંભલા

(૧૭)જૂજ

(૧૮) કેલીયા

(૧૯) ચારણવાડા

(૨૦) સીતાપુર

(૨૧) ખરજઇ

(૨૨)  કેવડી

(૨૩)  ધરમપુરી

(૨૪) કુકડા

(૨૫) કેળકચ્છ

(૨૬)  કાંટસવેલ

(૨૭)  હોળીપાડા

(૨૮)  કીલાદ(નાની વઘઇ)

(૨૯) આંબાબારી

(૩૦)  આંબાપાણી

(૩૧)  અંકલાછ

(૩૨)  બારતાડ

(૩૩)  બારતાડ(ખાનપુર)

(૩૪) બેડમાળ

(૩૫)  બિલમોડા

(૩૬) બોરીઆછ

(૩૭) ચરવી

(૩૮)  ચાપલધરા

(૩૯)  ચોંઢા

(૪૦)  ચોરવણી

(૪૧)  ઢોલુમ્બર

(૪૨) દોલધા

(૪૩)  રાણી ફળિયા

(૪૪)  મોટી ભમતી

(૪૫)  સરા

(૪૬)  ચિકટીયા

(૪૭)  ધાકમાળ

(૪૮)  ગંગપુર

(૪૯)  ગોધાબારી

(૫૦) જામલીયા

(૫૧) કપડવંજ

(૫૨)  કાવડેજ

(૫૩)  મનપુર

(૫૪) લાછકડી

(૫૫) મીંઢાબારી

(૫૬) નવાનગર

(૫૭) રંગપુર

(૫૮)  તાડપાડા

(૫૯)  ઉમરકુઇ

(૬૦)  વાડીચોંઢા

(૬૧)  વાંસિયાતળાવ

(૬૨)  વાંગણ

(૬૩)  વાટી

(૬૪)  વાંદરવેલા

(૬૫)  હનુમાનબારી

(૬૬)  ખંભાલીયા

(૬૭)  દુબળફળીયા

(૬૮)  સિંગાડ

(૬૯)  ઘોડમાળ

(૭૦)  કમળઝરી

(૭૧)  કંબોયા

(૭૨)  કણધા

(૭૩)  કંસારીયા

(૭૪)  ખડકીયા

(૭૫)  ખાનપુર

(૭૬)  ખાટાઆંબા

(૭૭)  લાકડબારી

(૭૮)  લાખાવાડી

(૭૯)  લીંબારપાડા

(૮૦)  માનકુનીયા

(૮૧)  મોળાઆંબા

(૮૨)  નવતાડ

(૮૩)  નીરપણ

(૮૪)  પિપલખેડ

(૮૫)  પ્રતાપનગર

(૮૬) રાજપુર

(૮૭)  રવાણિયા

(૮૮)  રાયબોર

(૮૯)  રૂપવેલ

(૯૦)  સાદડદેવી

(૯૧)  સતીમાળ

(૯૨)  સુખાબારી

(૯૩)  વાઘાબારી

(૯૪)  વાંસકુઇ

(૯૫)  ઝરી

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃત...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

     નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર...

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી.

  ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન થયું. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે થઈ, જેમાં આદિવાસી પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી. આ પૂજા આદિવાસી સમાજની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતી. ત્યારબાદ ખેરગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ઓર્કેસ્ટ્રા અને ડીજેના તાલે ઝૂમતી બિરસા મુંડા સર્કલથી શરૂ થઈ, ખેરગામ બજાર, દશેરા ટેકરી અને આંબેડકર સર્કલ થઈ પાછી બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. રેલીમાં આદિવાસી ગીતો અને નૃત્યોએ વાતાવરણને આદિવાસીમય બનાવી દીધું. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ રેલીમાં ભાગ લઈ આદિવાસી નૃત્યમાં જોડાઈ, સમાજ સાથે એકરૂપતા દર્શાવી. રેલી દરમિયાન ખેરગામના વિવિધ સમાજોની એકતા પણ પ્રકાશમાં આવી. મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને બ્રહ્મસમાજના આગેવાનોએ રેલીનું સ્વાગત કર્યું. વ્હોરા સમાજે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, જ્યારે મુસ્લિમ સમાજે ઠંડા પીણાંનું વિતર...