પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...
કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ ખેરગામ તાલુકામાં “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નાંધઈ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોરણ 8ની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખનમાં અને ધોરણ 6ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. માનસી અને દ્રષ્ટિએ પોતાની પ્રતિભા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા. હવે આ બંને દીકરીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર, શિક્ષકો અને નાંધઈ ગામના લોકોએ બંને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ સિદ્ધિ નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે!