Skip to main content

Posts

Showing posts from January, 2025

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

     પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સં...

શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા

શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા  શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકોની ભેટ નથી, પરંતુ વિદ્યાર્થીઓની સૃજનશીલતા, વિચારશક્તિ અને કુશળતાને ઉન્નત કરવાની એક અનોખી પ્રક્રિયા છે. ગુજરાતમાં અનેક શિક્ષકો શિક્ષણની નૈતિકતા અને નવું દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે, તેમા એક સુંદર ઉદાહરણ છે શ્રીમતી કીર્તિબહેન ઓજસકુમાર પટેલ. ICC IG 5 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – ગુજરાતનું ગૌરવ IIMA ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં 30 જાન્યુઆરી 2025 ના રોજ યોજાયેલ ICC IG 5 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શિક્ષણ અને નવીનતાને એકસાથે લાવતી મહત્ત્વપૂર્ણ ઘટના છે. દર પાંચ વર્ષે યોજાતી આ કોન્ફરન્સ માં દેશ-વિદેશના 250 જેટલા પ્રતિનિધિઓ ભાગ લે છે. આ વર્ષે, સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં આગવી શૈલીથી કાર્યરત 12 પ્રતિભાશાળી શિક્ષકો ને પસંદ કરવામાં આવ્યા, જેમાં નવસારી જિલ્લાના બુનિયાદી મિશ્રશાળા વાઘરેચની ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિબહેન પટેલનો સમાવેશ થયો. નવતર શિક્ષણ પદ્ધતિઓ માટે વિશેષ ઓળખ શ્રીમતી કીર્તિબહેન પટેલ તેમની અનોખી શિક્ષણ પદ્ધતિઓ માટે જાણીતા છે. સ્વરચિત બાળગીતો અને વિવિધ રમતો દ્વારા ...

નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ

  નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે 2025ના નવાં વર્ષની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે થઈ છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત નવસારી તાલુકાના નાગધરા ગામે નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કર્યુ. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી નવસારી અને વલસાડના ૪૭૮૦ હેક્ટર જમીનના ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. ઈ-તકતીનું અનાવરણ કરીને મંત્રીશ્રીએ ખેડૂતોને પાણીની અસરકારકતા અને સિંચાઈ માટે આધુનિક નહેર સિસ્ટમના મહત્ત્વ પર ભાર મુકાયો. નહેર આધુનિકીકરણ: પાણી બચાવ અને વધુ પાક ઉત્પાદન આ યોજનાથી નહેરોમાં લીકેજ અને સીપેજને રોકી પાણીનો ઓછામાં ઓછો વેડફાટ થાય તે સુનિશ્ચિત કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ બની રહેશે. આ કામો માત્ર જમીન અને પાકને જ નહીં, પણ વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને પણ ઉકેલાશે. ‘કેચ ધ રેન’ અભિયાન – વડાપ્રધાનના સંદેશની પુનરાવૃત્તિ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધત...